દરેક લોકો માફક હું પણ કઠુઆકાંડથી ખુબ જ વ્યથિત છુંઃ દુષ્કર્મ કરનારા વિરૂદ્ધના કાયદાને હું સમર્થન આપું છુંઃ અનુષ્કા શર્મા
મુંબઇઃ બાળાઓ ઉપર દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માઅે આવકાર્યો છે.
બોલિવૂડમાં સેલિબ્રિટીઝ કોઇ પણ સોશિયલ મુદ્દા પર બોલવાથી દૂર રહે છે પરંતુ અનુષ્કા શર્માએ પોતાના બેબાક નિવેદનથી સૌ કોઇનું દિલ જીતી લીધુ છે.
અનુષ્કા શર્મા હાલમાં એક કાર્યક્રમમાં પહોંચી હતી અને કઠુઆ ગેંગરેપ કેસ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. આ પ્રોગ્રામમાં પોતાના વિચારો વ્યક્ત કરતા અનુષ્કાએ કહ્યું,'હું ખુશ છું કે 12 વર્ષની સગીરાઓ સાથે રેપ કરનારાઓ વિરૂદ્ધ મોટી સજાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. હું માસુમ સગીરાઓની જિંદગી બર્બાદ કરનારાઓ વિરૂદ્ધ આવી સજાને 1 હજાર ટકા સપોર્ટ કરૂ છું. આ પ્રકારનો કાર્યક્રમ કોઇ પણ વ્યક્તિ વિરૂદ્ધ થનાર જઘન્ય અપરાધ છે.'
અનુષ્કાએ વધુમાં કહ્યું કે,'દરેક લોકો માફક હું પણ કઠુઆ કાંડથી ખુબ જ વ્યથિત અને ઉદાસ હતી. આજે પણ જ્યારે તે માસુમ સગીરા વિશે વિચારૂ છું તો હું ખુબ જ દુખી જાવ છું. હું માનું છું કે, આ પ્રકારના ગુનામાં કઠોર સજા આપવામા આવે.'