ફિલ્મ જગત
News of Wednesday, 24th March 2021

સલમાનખાનની ભત્રીજી અલીઝેહ અગ્નીહોત્રી અને સન્ની દેઓલનો નાનો પુત્ર રાજવીર દેઓલ ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવશે : ડિરેકટર સુરજ બડજાત્યાની ફિલ્મમાં ચમકશે

મુંબઈ તા. ર૪ : બોલિવૂડ લાઇફમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ સલમાન ખાનની ભત્રીજી અલીઝેહ અગ્નિહોત્રીને  ડિરેક્ટર સૂરજ બરજાત્યા લોન્ચ કરવા જઈ રહ્યા છે.

સૂરજ બરજાત્યાનો પુત્ર અવનીશ બરજાત્યા ટૂંક સમયમાં રોમકોમ ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યો છે. આમાં અલીઝેહ અગ્નિહોત્રી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલનો નાનો પુત્ર રાજવીર દેઓલ અલીઝેહ અગ્નિહોત્રી સાથે ડેબ્યૂ કરશે. એવી અપેક્ષા છે કે બંનેની કેમિસ્ટ્રી ધમાલ મચાવશે.

ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'ની જોનરમાં હશે, જેમાં અલીઝેહ અગ્નિહોત્રી પ્રેમની શોધમાં જોવા મળશે.

અગાઉ એવા અહેવાલો હતા કે ફિલ્મમાં અલીઝેહ અગ્નિહોત્રી સાથે જાવેદ જાફરીનો પુત્ર મિઝન જાફરી જોવા મળશે, પરંતુ પીપિંગમૂનના અહેવાલો મુજબ રાજશ્રી બેનરે સન્ની દેઓલના નાના પુત્ર રાજીવીરને ફાઇનલ કર્યો છે.

અલીઝેહ અગ્નિહોત્રી ખૂબ સુંદર છે, પરંતુ સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ છે. તની તસવીરો તેમના સરળતાથી જોવા મળશે નહીં.

અલીઝેહ અગ્નિહોત્રી અતુલ અગ્નિહોત્રી અને અલવીરાની પુત્રી છે અને આખા પરિવારની લાડલી છે. સાથે મામા પણ સલમાન ખાનની ફેવરિટ છે.

(4:49 pm IST)