વરૂણ ધવનની નવી ફિલ્મનું નામ-ઇક્કીસ
શહિદ લેફટનન્ટ અરૂણ ખેત્રપાલ પર ફિલ્મ બનાવવાની શ્રીરામ રાઘવને તૈયારી કરી છે. આ ફિલ્મ માટે વરૂણ ધવનને લેવામાં આવ્યો છે. આ ફિલ્મનું નામ 'ઇક્કીસ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજાન કરી રહ્યા છે. લુકાછુપીના નિર્માણ વખતે દિનેશે અરૂણ ખેત્રપાલ વિશે સાંભળ્યું હતું અને વધુ જાણકારી મેળવવા તૈયારી કરી હતી.
હવે અરૂણના જીવન પરથી ફિલ્મ બનશે. તેમણે ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુધ્ધમાં મહત્વની ભુમિકા નિભાવી હતી અને શહિદ થયા હતાં. દિનેશે શ્રીરામ રાઘવન સાથે ચર્ચા કરતાં રાઘવન આ ફિલ્મનું નિર્દેશન કરવા તૈયાર થઇ ગયા હતાં. જ્યારે વરૂણને આ રોલ માટે વાત કરવામાં આવી ત્યારે તેણે જરાપણ વિચાર કર્યા વગર કામ કરવાની હા કહી દીધી હતી. શ્રીરામ રાઘવન અને વરૂણ ધવન અગાઉ બદલાપુર જેવી સુપરહિટ ફિલ્મ સાથે બનાવી ચુકયા છે. બદલાપુરથી જ વરૂણની ઇમેજ બદલી હતી. લોકો માનવા માંડ્યા હતાં કે વરૂણ ગમે તેવી કઠોર ભુમિકા પણ નિભાવી શકે છે.