આકાંક્ષાને એક જ શોમાં ફરી વખત બીજો રોલ
ભાગ્યે જ એવા કોઇ કલાકાર હોય છે જેને એક જ ટીવી શોમાં અલગ-અલગ પાત્રો ભજવવાની તક મળતી હોય છે. આવી તક આકાંક્ષા જુનેજાને આવો જ એક શો મળ્યો છે. એન્ડટીવીની માઇથોલોજિક સિરીયલ કહત હનુમાન જયશ્રી રામમાં તે ફરીથી એન્ટર થઇ રહી છે. આ શોમાં શિવજીનો સ્ત્રીઅવતાર અગાઉ તેણે કર્યો હતો. તેના આ પાત્રના સોૈએ વખાણ કર્યા હતાં.
હવે તે ફરીથી એક રોલમાં આવી રહી છે. આ રોલ સિંહીકાનો રોલ મળ્યો છે. સિંહીકાના પાત્ર માટે આકાંક્ષાને ચાર કલાક મેકઅપ કરવો પડે છે. સિંહીકા એ રાહુનું મસ્તક અને કેતુનો દેહ ધરાવે છે. સિંહીકાની બંને આંખોનો રંગ પણ જુદો-જુદો છે. તેનું આ પાત્ર ધાર્મિક સ્વભાવથી લઇને ખુબ હિંસાવાદી પણ છે. આકાંક્ષાએ કહ્યું હતું કે સામાન્ય રીતે એકાદ પાત્ર કરનારા કલાકારને બધા ઓળખવા માંડે છે. પરંતુ મારા અભિનયથી નિર્માતા અને ચેનલ ખુશ હતાં એટલે ફરીથી મને આવું પાત્ર આપ્યું છે. પાત્રનો ગેટઅપ જ એવો હતો કે મેં કામ માટે હા કહી દીધી હતી.