News of Tuesday, 23rd October 2018
અભિનેતા જગ્ગુ દાદાએ સંજય દત્ત વિષે કહી આ વાત....
મુંબઈ:તેલુગુ ફિલ્મ 'પ્રસ્થાનમ'ની આગામી રીમેકમાં અભિનેતા સંજય દત્ત સાથે કામ કરનાર જૈકી શ્રોફ ઉર્ફ જગ્ગુ દાદા તેના વખાણ કરતા કહ્યું કે તે બોલીવુડના સારા અભિનેતાઓમાંથી એક છે.
સંજય દત્ત સાથે જૈકી શ્રોફે 'ખલનાયક','મિશન કશ્મીર', કારતુસ' અને એકલવ્ય-ધ રોયલ ગાર્ડ જેવી અનેક ફિલ્મો માં કામ કર્યું છે. જગ્ગુ દાદાએ વધુમાં સંજયના વખાણ કરતા કહ્યું કે હું ફિલ્મમાં કામ કરતા પહેલા હું સંજય દત્તને જાણું છે. પહેલા દિવસથી અત્યાર સુધી તેના માં કોઈ બદલાવ નથી આવ્યો. તે પોતે ઉશ્કેલીમાં હોય તો પણ બીજાઓને હસાવીને અન્યના દુઃખ દૂર કરતા જાણે છે. કામની વાત કરું તો તે સારો એવો કલાલકરોમાંથી એક છે.
(4:18 pm IST)