ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

દિશાએ કલાકારોની ભીડવાળી ફિલ્મ માટે કહી દીધી ના

અભિનેત્રી દિશા પટાની બાગી-૨ની સફળતા પછી ફિલ્મોની પસંદગીમાં ખુબ  ધ્યાન રાખી રહી છે. નિર્દેશક આર. બાલ્કીએ પોતાની આગામી ફિલ્મ 'મંગલયાન' માટે   દિશાની પસંદગી કરી હતી. પરંતુ તેણે પાછળથી આ ફિલ્મ કરવાની ના કહી દીધી છે. કારણ કે દિશાને ખબર પડી હતી કે તેના ઉપરાંત બીજી ત્રણ અભિનેત્રીઓ પણ આ ફિલ્મ કરી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય રોલમાં છે. 

દિશાને એવું લાગે છે કે આવડા મોટા કલાકારો અને ત્રણ અભિનેત્રીઓની ભીડ વચ્ચે પોતાને પોતાની ક્ષમતા દેખાડવાની તક નહિ મળે. આ ફિલ્મ ભારત દ્વારા પહેલી વખત છોડાયેલા મંગળયાન પરથી આધારીત છે. દિશા આમ પણ હાલમાં સલમાન ખાનની ફિલ્મ ભારતના શુટીંગમાં રોકાયેલી છે. વિદ્યા ઉપરાંત બીજી બે અભિનેત્રીમાં તબ્બુ અને કેટરીના કૈફના નામ સામેલ છે. નિર્દેશન અલી અબ્બાસ જફર કરશે.

(11:07 am IST)