મહિલાઓેએ દૂર્ગા માતાની જેમ મજબૂત બનવું જોઇએઃ દેબીના
મી ટૂ અભિયાન અંતર્ગત રોજબરોજ કોઇને કોઇ હિરોઇન કે મોડેલ કોઇને કોઇ પીઢ અભિનેતા, નિર્દેશક, સંગીતકાર સામે ચોંકાવનારા આક્ષેપો સાથે હાજર થઇ જાય છે. તનુશ્રી દત્તાએ બોલીવૂડના પીઢ અભિનેતા નાના પાટેકર સામે જંગ છેડી તેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પર નોંધાવી દીધી છે. જેના કારણે બોલીવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. એ પછી જેટલી અભિનેત્રીઓ, મોડેલ સાથે ભુતકાળમાં આવી ઘટનાઓ બની હતી તે સામે આવીને પોતાનો પક્ષ રજુ કરી રહી છે. ત્યારે ટીવી અભિનેત્રી દેબીના બેનર્જીએ એક ખાસ વાત કહી છે કે મહિલાઓએ માતા દુર્ગાની જેમ રહેવું જોઇએ. ખુબ જ મજબુત બનીને સમસ્યાનો સામનો કરવો જોઇએ. ટીવી પરદે રામાયણમાં સિતાનો રોલ કરનાર દેબીનાએ બાદમાં પતિ રિયાલીટી શો પણ કર્યા છે. તાજેતરમાં તે બંગલામાં દુર્ગા પુજા માટે ગઇ હતી.