બોલીવૂડમાં કમબેક કરવા ઐશ્વર્યા આતુર
બોલીવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અભિનયથી દૂર પારિવારીક જિંદગીમાં વ્યસ્ત છે. વચ્ચે વચ્ચે તે ફિલ્મો કરતી રહે છે. છેલ્લે તે રાજકુમાર રાવ અને અનિલ કપૂર સાથે ફિલ્મ ફન્નેખાંમાં જોવા મળી હતી. હવે ચર્ચા છે કે તે ૧૯૬૪માં આવેલી ફિલ્મ વો કોૈન થીની રિમેક દ્વારા કમબેક કરવાની છે. બોલીવૂડમાં કમબેક કરવા માટે ઐશ્વર્યા આતુર છે. હાલમાં તે અનેક નિર્માતાઓ સાથે વાતચીત કરી રહી છે. ૨૦૦૭માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી એક દિકરીની મા બની ચુકેલી ઐશ્વર્યા રાય લગ્ન પછી બોલીવૂડથી દૂર થઇ ગઇ હતી. હાલમાં તે દિકરી આરાધ્યાની દેખરેખમાં વ્યસ્ત છે. તે બોલીવૂડની ફિલ્મોમાં ભલે જોવા ન મળતી હોય પણ સોશિયલ મિડીયા પર સતત સક્રિય છે. ઐશ્વર્યાએ મણિરત્નમની તમિલ ફિલ્મ ઇરૂવર થકી બોલીવૂડમાં અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ પછી તેણે અનેક હિટ ફિલ્મો આપી છ.