આવતા વર્ષે રણબીર કપુર સાથે લગ્ન! આ ફેમસ ડિઝાઇનરનો લેંઘો પહેરશે આલીયા ભટ્ટ
મુંબઇઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે જલ્દીથી શરણાઇઓ વાગવાની છે. બોલીવુડનું આ ચર્ચિત કપલ લગ્ન કરીને હંમેશા માટે એક બીજાના હમસફર બનવાના છે. રણબીર અને આલિયાને લઇને એક રિપોર્ટમાં કંઇક આવો જ દાવો સામે આવ્યો છે. રિપોર્ટનું માનીએ તો આલિયા અને રણબીર આવતા વર્ષે ૨૦૨૦માં લગ્ન કરી શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે આલિયા ભટ્ટ પોતાના લગ્નમાં જાણીતી ડિઝાઇનર સબ્યેસાચીના ડિઝાઇનર લેંઘા પહેરશે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે આલિયા ભટ્ટ એપ્રિલ મહિનામાં સબ્યેસાચીથી મળી હતી. આલિયાએ સબ્યેસાંચીથી મુલાકાત પોતાના વેડિંગ લેંઘાના સિલસિલે કરી હતી. રિપોર્ટ પ્રમાણે ઋષિ કપૂર સપ્ટેમ્બરના મહિનામાં પોતાની સારવાર કરાવીને ન્યૂયોર્કથી ઇન્ડિયા પરત ફરી શકે છે. એના આવ્યા બાદ આલિયા અને રણબીરના લગ્નની તારીખ નક્કી કરવામાં આવશે.