રણબિર કપૂરને લઇને ફિલ્મ બનાવશે સંદિપ
શાહિદ કપૂરને લઇને ફિલ્મ કબિરસિંહ બનાવનારા નિર્દેશક સંદિપ રેડ્ડી વાંગા હવે રણબીર કપૂરને લઇને ફિલ્મ બનાવશે. કબિરસિંહ ફિલ્મ ૨૦૧૯ના વર્ષની સોૈથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. ફિલ્મ રિલીઝ થઇ એ પહેલા કોઇએ વિચાર્યુ પણ નહોતું કે આ ફિલ્મ લોકોને ખુબ ગમશે. તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક કબિરસિંહ પહેલા તો અર્જૂન કપૂરને લઇને બનાવવાનો નિર્દેશક સંદિપનો ઇરાદો હતો. પણ અર્જૂન પાસે ત્યારે બીજી ફિલ્મ હાથ પર હોવાથી તે તારીખ આપી શકયો નહોતો અને શાહિદ બાજી મારી ગયો હતો. સંદિપ હવે આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે. તેણે તાજેતરમાં રણબીર કપૂર સાથે મુલાકાત કરી હતી. તેના પરથી ચચા વહેતી થઇ છે કે કે હવે સંદિપ રણબીરને લઇને ધમાકેદાર ફિલ્મ બનાવશે. આ બંને વચ્ચે સ્ક્રિપ્ટની ચર્ચા પણ થઇ ગઇ છે અને રણબીર પણ સંદિપ સાથે કામ કરવા ઉત્સુક છે. રણબીર કપૂર બ્રહ્માસ્ત્રમાં પણ કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને મોૈની રોય મુખ્ય ભુમિકામાં છે.