ફિલ્મ જગત
News of Friday, 23rd April 2021

હોસ્પિટલોમાં પીડિતોની સ્થિતિ જોઈને સુષ્મિતાથી થઇ ભાવુક

મુંબઈ: દેશમાં દરરોજ કોરોનાની સ્થિતિ ભયાનક બની રહી છે. હવે દરરોજ ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં દર્દીઓના વધારાને કારણે હોસ્પિટલોમાં પથારીની અછત ઉભી થઈ છે. બીજી તરફ ગંભીર દર્દીઓને ઓક્સિજન મળતું નથી. હોસ્પિટલોમાં ઓક્સિજનનો તીવ્ર અભાવ છે. ખાસ કરીને દિલ્હીની ઘણી હોસ્પિટલોએ આ માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે, કે તેઓની પાસે મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ છે અને તેમને ઓક્સિજન નથી. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન હવે તેમની મદદ માટે આગળ આવી છે.

(5:47 pm IST)