વિક્રમનું પાત્ર સૌથી વધુ સારુ લાગ્યું પુલકિતને
ટીવી પરદાનો અભિનેતા પુલકિત બાંગીયાએ કહ્યું હતું કે મારે અભિનેતા બનવું જ નહોતું. પણ મારા મમ્મીનું સપનુ પુરૂ કરવા માટે હું આ ક્ષેત્રમાં આવ્યો હતો. હવે મને અહિ ફાવી ગયું છે. પુલકિતે હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાને રાખીને કહ્યું હતું કે આવા સમયમાં અનેક લોકો એવા છે જેની પાસે કામ નથી. જ્યારે મને કામ કરવાની તક મળી છે એ માટે હું સમગ્ર ઇન્ડસ્ટ્રીનો ઋણી છું. પુલકિત હાલમાં ઝી ટીવીના શો અપના ટાઇમ ભી આયેગામાં કામ કરી રહ્યો છે. આ શોમાં તે વિક્રમ રજાવત નામનું પાત્ર ભજવી રહ્યો છે. પુલકિતે અગાઉ કૈસી યે યારીયા, પરદેસ મેં હૈ મેરા દિલ જેવા ટીવી શો અને યે સાલી આશિકી જેવી ફિલ્મમાં કામ કર્યુ છે. પણ તે કહે છે કે અપના ટાઇમ...ના વિક્રમનું પાત્ર મને મારા અત્યાર સુધીના બધા પાત્ર કરતાં વધુ ગમ્યું છે. આ અલગ જ પાત્ર છે. વિક્રમ એવો છે જે દરેક બાબતની પોઝિટિવ બાજુને જૂએ છે. શોમાં સામાન્ય છોકરી રાનીની કહાની છે. જે પોતાના સપના પુરા કરવા સંઘર્ષ કરી રહી છે.