સાતમી એપ્રિલે આવશે આદિત્ય-મૃણાલની ગુમરાહ
આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ગુમરાહ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ સાતમી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આદિત્ય અને મૃણાલને સાથે જોવા ચાહકો અધીરા બન્યા છે. વર્ધન કેતકરે આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. આ વધુ એક એવી ફિલ્મ છે જે સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે. ૨૦૧૯માં આવેલી તમિલ ફિલ્મ થડામ પરથી ગુમરાહ બનાવવામાં આવી છે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મનું શુટીંગ ખતમ થઇ ગયું છે. મૃણાલ આ ફિલ્મને લઇને ખુબ ઉત્સાહિત છે. તેણે લખ્યું હતું કે કોઇના પર પણ સરળતાથી વિશ્વાસ કરી લેવો નહિ. આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં તદ્દન અલગ જ અવતારમાં જોવા મળવાનો છે. તેણે આ ફિલ્મમાં ડબલ રોલ નિભાવ્યો છે. મૃણાલ ફિલ્મમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ભુષણ કુમાર ટી સીરીઝ અને મુરાદ ખેતાણી ફિલ્મના નિર્માતા છે.