પાત્ર પાસેથી ઘણુ શીખવા મળ્યું: સંધ્યા
અભિનેત્રી સંધ્યા મળદુલ હવે વેબ સિરીઝમાં કામ કરી રહી છે. તાજ-ડિવાઇડેડ બાય બ્લડમાં સંધ્યા જોધાબાઈના પાત્રમાં જોવા મળી છે. આ સિરીઝમાં ધર્મેન્દ્ર, નસીરૂદ્દીન શાહ, ઝરીના વહાબ, રાહુલ બોઝ અને અદિતિ રાવ હૈદરી પણ છે. મુગલ બાદશાહ અકબર અને તેની સત્તા પર આધારિત આ શો અંગે સંધ્યાએ કહ્યું હતું કે મેં જોધાના રોલની તૈયારી સ્ક્રિપ્ટને આધારે કરી હતી. હું એવી વ્યક્તિ નથી જે પોતાના પાત્ર વિશે વધુ વિચારે. સ્ક્રિપ્ટ મને ઇન્ટરેસ્ટિંગ લાગવી જોઈએ અને એની સાથે હું વાતચીત કરી શકું. ડાયલોગ્સ મારા પાત્રને દર્શાવી રહ્યા છે. મારી સૌથી મોટી તૈયારી તો એ હતી કે સેટ પર જતા અગાઉ આખી સ્ક્રિપ્ટ મેં બે વખત વાંચી હતી. મારા આ પાત્ર પાસેથી મને જે શીખવા મળ્યું એ હતું કે તેઓ મુગલ સમ્રાટ અકબર પ્રતિ કેટલાં ઉદાર, સ્વતંત્ર વિચારોનાં, નીડર અને સન્માનનીય હતાં પરંતુ સાથે જ જે વસ્તુ તેમને ન ગમે અથવા તો ખરાબ કે પછી અયોગ્ય હોય તો એના પ્રત્યે અણગમો વ્યકત કરવાનું પણ તેઓ સામર્થ્ય રાખતાં હતાં.