News of Friday, 23rd March 2018
તમિલનાડુની રાજનૈતિક બદલાવની જરૂર છે: રજનીકાંત
મુંબઈ: જાણીતા અભિનેતા તથા રાજનૈત્તિના અખાડામાં તાજેતરમાં ઉતારનાર રજનીકાંતનું કહેવું છે કે તમિલનાડુમાં રાજનૈતિક બદલાવની જરૂરત મને દેખાઈ રહી છે. રજનીકાંતે પોતાના પ્રશંસકોને એક વિડિઓ સંદેશ દ્વારા કહ્યું કે રાજ્યમાં ઘણા ફેરફાર થવા હવે જરૂરી દેખાઈ રહ્યા છે. ઈશ્વરે મને એક ખાસ તક આપી છે કે હું રાજ્યમાં બદલાવ લાવી શકું તેના માટે મને જનતાનો સાથ મળી રહે તે અનિવાર્ય છે. તે મને અપને બધાએ મળીને કામ કરવાનું છે.આ એક મુશ્કેલ કામ છે પણ મહેનત કરવાથી બધા જ કામ સરળ થઇ જતા હોઈ છે.
(3:52 pm IST)