ફિલ્મ જગત
News of Tuesday, 23rd January 2018

સારા રોલની હમેંશા રાહ જોવી પડે છેઃ મનોજ બાજપેયી

મનોજ બાજપેયી પોતાની અસફળતા માટે કોઇને દોષ આપતો નથી. મનોજે ફિલ્મોની પસંદગી અને કેટલીક ખોટી ફિલ્મો પસંદ કરવા બાબતે વાત કરી હતી. તે બે દસકથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. મનોજની આગામી ફિલ્મ અય્યારી છે. ૯મી ફેબ્રુઆરીએ આ ફિલ્મ આવી રહી છે. મનોજ કહે છે યોગ્ય રોલ હમેંશા મળે છે, બસ તેના માટે રાહ જોવી પડે છે. મને હમેંશા ખોટી ફિલ્મો કરવા બાબતે ડર રહે છે. કોઇપણ ફિલ્મમાં કામ કરવું કે નહિ તે માત્ર અને માત્ર હું જ નક્કી કરુ છું.  મેં ગમે તેવા રોલ કરવાને બદલે સારા રોલની રાહ જોઇ છે. મેં ખોટી ફિલ્મો કરી તેના નામ કદી નહિ લઉ. હું બોકસ ઓફિસની કમાણી પર વિશ્વાસ નથી રાખતો, કારણ કે એક સારી ફિલ્મ સારી જ હોય છે પછી એ હિટ હોય કે ફલોપ. લોકો મારી જે ફિલ્મને ફલોપ ગણે છે તેમાં મારો અભિનય અત્યંત સારો હોય છે.

 

(9:32 am IST)