અમૃતસર ટ્રેન અકસ્માતમાં દિલજિત દોસાંજે કહી આ વાત
મુંબઈ: અમૃતસરમાં રાવણ દહન દરમિયાન ટ્રેનની અડફેટે આવેલા લોકોનાં કરૂણ મોત પર દિલજીત દોસાંજ અને કપિલ શર્મા સહિતનાં પંજાબી એક્ટર્સ અને સિંગર્સે દુ:ખ જતાવ્યું છે. આ ઘટનાથી દુ:ખી થયેલા દિલજીત દોસાંજે પુણેમાં પોતાનો શૉ કેન્સલ કરી દીધો છે. જો કે તેણે શૉ રદ્દ કરવાનું કારણ સંપૂર્ણ રીતે નથી જણાવ્યું, પરંતુ ફેન્સ આ પાછળનું કારણ અમૃતસર ટ્રેન અકસ્માતને માની રહ્યા છે.એક ટ્વિટ દ્વારા દિલજીતે દર્શકોની માફી માંગતા કહ્યું, ‘આજે પુણેમાં થનારા શૉને રદ્દ કરવામાં આવ્યો છે. તમારી અસુવિધા માટે માફી ચાહુ છું. જલ્દી આ શૉની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.’ સોશિયલ મીડિયા દ્વારા પંજાબનો આ સુપરસ્ટાર લોકોની સંભવ મદદ કરી રહ્યો છે. દિલજીતનાં આ નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે. દિલજીતે આ ઘટના પર દુ:ખ જતાવતા કહ્યું કે, ‘અમૃતસરમાં ભીષણ ટ્રેન અકસ્માતથી દુ:ખી છું. આ દિલને હચમચાવી દેનારું છે. પીડિત પરિવારોને મારી સંવેદના. હું આ ઘટનાને કારણે અસર પામેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.’ દિલજીતે આ ઘટના બાદ સતત ઘાયલ થયેલા વ્યક્તિઓને બ્લડ ડોનેશન અને મૃતકોનાં પરિવારો માટે ચાલી રહેલી હેલ્પલાઇનનાં નંબર્સ શેર કર્યા છે.