News of Monday, 22nd October 2018
અર્જુન કપૂરની દાદી પરિણીતી ચોપરાને બનાવવા માંગે છે વહુ
મુંબઈ: ઇશ્કજાદેથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની લેટેસ્ટ ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ દશેરાના દિવસે રિલીઝ થઈ છે. અર્જુન-પરિણીતીની કેમિસ્ટ્રી માત્ર ઓડિયન્સને જ નહીં તેમના પરિવારજનોને પણ ઘણી પસંદ પડી છે. અને એટલા માટે જ અર્જુનનાં દાદીએ તો જાહેરમાં પરિણીતીને વહુ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી. જોકે આ અંગે પરિણીતીનું કહેવું છે કે, આ મજેદાર વાત છે પણ દાદીએ એટલા માટે કહ્યું કે અમે બંને ઓનસ્ક્રીન ઘણા સારા લાગીએ છીએ કે અમારી કેમિસ્ટ્રી કે લવસ્ટોરી વિશ્વાસ કરવા લાયક છે, પરંતુ અમારા પરિવારજનો એ ભૂલી જાય છે કે અમે એક્ટર છીએ.
(5:22 pm IST)