ફિલ્મ જગત
News of Monday, 22nd October 2018

અર્જુન કપૂરની દાદી પરિણીતી ચોપરાને બનાવવા માંગે છે વહુ

મુંબઈ: ઇશ્કજાદેથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની લેટેસ્ટ ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ દશેરાના દિવસે રિલીઝ થઈ છે. અર્જુન-પરિણીતીની કેમિસ્ટ્રી માત્ર ઓડિયન્સને નહીં તેમના પરિવારજનોને પણ ઘણી પસંદ પડી છે. અને એટલા માટે અર્જુનનાં દાદીએ તો જાહેરમાં પરિણીતીને વહુ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી. જોકે અંગે પરિણીતીનું કહેવું છે કે, મજેદાર વાત છે પણ દાદીએ એટલા માટે કહ્યું કે અમે બંને ઓનસ્ક્રીન ઘણા સારા લાગીએ છીએ કે અમારી કેમિસ્ટ્રી કે લવસ્ટોરી વિશ્વાસ કરવા લાયક છે, પરંતુ અમારા પરિવારજનો ભૂલી જાય છે કે અમે એક્ટર છીએ.

(5:22 pm IST)