ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

કૃણાલ કોહલી હવે પરદા પર લાવશે-રામયુગ

ફિલ્મ નિર્માતા કૃણાલ કોહલી ફરી એક વાર બોલીવૂડમાં આવવા તૈયાર છે. કૃપાલે નિર્દેશક તરીકે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. આ વખતે તે રામયુગ નામની બનાવશે. આ ફિલ્મ રામાયણ પર આધારીત હશે. કૃણાલે એક પોસ્ટર પોસ્ટ કર્યુ છે જે દર્શાવે છે કે તે ફરીથી ફિલ્મ બનાવી રહ્યો છે. તેણે પોસ્ટર પોસ્ટ કરવાની સાથે લખ્યું છે કે દર્શકો તરફથી ફરીથી પ્રેમ મળશે તેવી આશા છે.

કૃપાલે અત્યાર સુધીમાં મોટે ભાગે રોમાન્ટીક ફિલ્મો બનાવી છે. આ વખતે તે પોૈરાણિક વિષય વસ્તુ લઇને ફિલ્મ બનાવશે. આ ફિલ્મ ખુબ મજેદાર બને તેમ લાગ છે. મુખ્ય કલાકારો કોણ કોણ હશે તે હજુ નક્કી થયું નથી. આ ફિલ્મનું લેખન કમલેશ પાંડેએ કર્યુ છે. જેણે અગાઉ તેજાબ, ચાલબાજ અને રંગ દે બસંતી જેવી ફિલ્મો લખી હતી.

(9:39 am IST)