ડાકુ રાણી ફૂલનદેવીના હત્યારા શેર સિંઘ રાણાનો રોલ કરશે અજય દેવગણ
મુંબઈ:અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ એની આગામી ફિલ્મમાં ડાકુ રાણી ફૂલનદેવીના હત્યારા શેર સિંઘ રાણાનો રોલ કરશે એવી માહિતી મળી હતી. ફૂલનદેવીનો આ હત્યારો પાછળથી સંસદ સભ્ય પણ બન્યો હતો. અજયની નિકટનાં સૂત્રોએ કહ્યું કે અજયને જે મુદ્દો આકર્ષક લાગ્યો એ આ હતો- ૨૦૦૧માં ફૂલનદેવીની હત્યા કર્યા બાદ તિહાર જેલમાં રખાયેલો આ માણસ૨૦૦૪માં તિહાર જેલમાંથી નાસી છૂટયો હતો. નાસી ગયેલો શેર સિંઘ અફઘાનિસ્તાન ગયો હતો અને ત્યાંથી બારમી સદીના મર્દ ભારતીય રાજવી પૃથ્વીરાજ ચૌહાણના અવશેષો લઇને પાછો આવ્યો ત્યારે ૨૦૦૬માં કોલકાતામાં ઝડપાઇ ગયો હતો. એના જીવનની આ ચડતી પડતી અજયને આકર્ષી ગઇ હતી અને એણે આ રોલ કરવાની હા પાડી હતી. વળી એક સમયનો આ હત્યારો સંસદ સભ્ય પણ બન્યો હતો. શેર સિંઘે પોતાની જીવનયાત્રાનું પુસ્તક પણ લખ્યું હતું- જેલ ડાયરીઃ તિહાર સે કાબુલ-કંદહાર તક. હાલ એ જામીન પર છૂટયો છે અને દિલ્હીમાં રહે છે. આ ઉપરાંત અજય છત્રપતિ શિવાજી મહારાજના એેક વીર સેનાપતિ તાનાજી માલસુરેની બાયો-ફિલ્મમાં તાનાજીનો રોલ પણ કરવાનો છે.