વધુ એક બૉલીવુડ દંપતીના લગ્નજીવન તૂટવાની અણી પર: ઇમરાન ખાન પત્ની અવંતિકાને આપશે તલાક
મુંબઇ: ઇમરાન ખાન અને અવંતિકા મલ્લિકનું લગ્નજીવન એક સમયે એક પરીકથા સમાન હતું. બન્ને મુંબઇમાં રહેતા હતા અને લગ્ન પહેલા આઠ વરસ સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા બાદ જ સંબંધને લગ્નની વેદી સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો હતો. તેમના લગ્ન બાદ તેમને ત્યાં કન્યારત્નનો જન્મ થયો હતો, જેનું નામ તેમણે ઇમારા પાડયું હતું. ઇમારીની સારસંભાળ ઇમરાન બહુ સારી રીતે રાખતો હતો. પત્ની તરફથી ઉત્તમ ભેટ મળી હોવાનું ગર્વથી કહેતો હતો. તેઓ પોતાના સુખી દાંપત્યની તસવીરો પણ સોશિયલ મીડિયા પર મુકતા હતા. પરંતુ હવે એવી વાત આવી છે કે, લગ્નના આઠ વરસ બાદ ઇમરાન અને અવંતિકાના સંબંધમાં તિરાડ પડી છે. આ પરિવાર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતુ કે, અવંતિકાએ ઇમરાનનું ૨૪, પાલીહિલ ઘર છોડી દીધું છે. પુત્રી ઇમારા સાથે તે હાલ તેના માતા-પિતા સાથે રહે છે. તેમનો પરિવાર અને અંગત સંબંધીઓ બન્ને વચ્ચે સુલેહ કરાવાના પ્રયાસ કરી રહ્યા છે.આ યુગલ પહેલાની માફક એક છત નીચે સુખી જીવન જીવે તેમની કોશિષ છે.ઇમરાન હાલ પોતાની એક ટૂંકી ફિલ્મનું ડિરેકશન કરીરહ્યો છે.