ફિલ્મ જગત
News of Thursday, 22nd April 2021

હું કયારેય ના પાડતો નથીઃ જીતુ શિવહરે

ટીવી પરદે અનેક કલાકારો કોમેડી શોમાં પોતાના ખાસ અને અલગ નામ તથા અભિનયને કારણે દર્શકોના દિલમાં રહેતાં હોય છે. અગાઉ ગધ્ધેપ્રસાદ નામનું   પાત્ર ભજવી નામના મેળવનાર અભિનેતા જીતુ શિવહરે હાલમાં સબ ટીવીના શો જીજાજી છત પર કોઇ હૈમાં નન્હેનું પાત્ર ભજવી રહ્યો છે. ચિડીયાઘરનો આ ગધ્ધે પ્રસાદ કહે છે કોઇ એક રોલથી અભિનેતાને યાદ કરવામાં આવે તેનો એવો મતલબ ન થાય કે એ અભિનેતા બીજા રોલમાં દર્શકોને ન ગમે. મને લાગે છે કે કોઇ એક રોલ લોકોના મનમાં કાયમને માટે સ્ટોર થઇ જાય છે અને બાદમાં લોકો એ એકટરને વધુ પ્રેમ કરવા માંડે છે. જીતુ કહે છે પહેલા જે પાત્ર હું ભજવતો એ નામે લોકો બોલાવતા હતાં. આજે હવે નન્હેના નામથી ચાહકો બોલાવતાં થઇ ગયા છે. સોની સબના કોઇપણ શો મને ઓફર થાય તો હું ના પાડી શકતો નથી.

(10:17 am IST)