ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

ફિલ્મ 'તનુ વેડસ મનુ'ની બનશે ત્રીજી સિક્વલ

મુંબઈ:અભિનેત્રી – નિર્માત્રી- દિગ્દર્શિકા કંગના રનૌત પોતાની આગામી ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. ફિલ્મના પ્રમોશન દરમિયાનની એક મુલાકાત દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું હતું કે હું અત્યારે મારી ફિલ્મ મણિકર્ણિકાના પ્રચારમાં વ્યસ્ત છું. આનંદ એલ રાય સાથે મારી વાતચીત થઇ હતી અને અમે તનુ વેડસ મનુ સિરીઝની ત્રીજી ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં કરવાના છીએ. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ ૨૦૧૧માં અને બીજો ભાગ વર્ષ ૨૦૧૫માં રિલીઝ થયો હતો. આ બંને ફિલ્મમાંનો કંગનાનો અભિનય દર્શકોને ખૂબ જ પસંદ પડયો હતો.

 

 

(4:39 pm IST)