અમુક ઉમર પછી મા અને પત્નિની ભુમિકા જ મળે છેઃ ફરીદા
બોલીવૂડમાં અભિનેત્રીઓ માટે અમુક દિવસો ખુબ સારા હોય છે જ્યારે તેને મોટી મોટી ફિલ્મોમાં મુખ્ય રોલ મળતાં હોય છે. પરંતુ સમય વિતતાં જ એ અભિનેત્રીને મા અને પત્નિના રોલ મળવા માંડે છે. આવુ શા માટે થાય છે? તેનો ખુલાસો અભિનેત્રી ફરીદા જલાલે કર્યો છે. ફરીદા કહે છે અભિનેત્રીઓને અમુક ઉમર પછી મા, પત્નિ જેવા રોલ મળે છે. બીજી તરફ અભિનેતાને હીરોના જ રોલ મળતા રહે છે. અમુક ઉમર પછી અભિનેત્રીઓ પણ અલગ-અલગ ભૂમિકા નિભાવી શકે છે એ વાત કોઇ સમજતું નથી. ભલે બોલીવૂડમાં મહિલા કેનદ્રીત ફિલ્મોની ભરમાર ચાલી રહી હોઇ આમ છતાં આ બધુ અમુક મહિલાઓ પુરતુ સિમીત છે. મારા સમકાલની અભિનેતાઓ વકિલ, ડોકટર કે બીજા રોલ નિભાવતા હોય છે, જ્યારે મને બોર્ડરવાળી સાડી આપીને મા કે પત્નિનો રોલ કરવાનું કહેવાય છે. જો કે હવે મહિલા કેન્દ્રીત ભુમિકાઓ વધુ લખાઇ રહી છે તેનાથી ફરીદા ખુશ છે. ફરીદા છેલ્લા કેટલાક સમયથી ટીવી શોમાં વધુ દેખાઇ રહી છે.