હવે નવી ફિલ્મનું કામ શરૂ કરશે કંગના
કંગના રનોૈત આ વર્ષમાં સોૈથી વધુ ચર્ચામાં રહી છે. કોરોના કાળમાં શુટીંગને મંજુરી મળતાં જ કંગનાએ પોતાની અધુરી રહી ગયેલી મહાત્વાકાંક્ષી ફિલ્મ થલાઇવીનું શુટીંગ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મ તમિલનાડુના ભુતપુર્વ મુખ્યમંત્રી સ્વર્ગિય જયલલિતાના જીવન પર આધારીત છે. કંગના આ ફિલ્મની તમામ વિગતો સતત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. કંગનાની મુંબઇની ઓફિસ તોડી પાડવામાં આવ્યા બાદ તે ખુબ ચર્ચામાં હતી. કોરોનાકાળમાં તે વતન મનાલી જતી રહી હતી અને ત્યાં પરિવારજનો સાથે ખુબ સમય પસાર કર્યો હતો. પોતાના ભાઇના લગ્ન પણ તેણે કરાવ્યા હતાં. થલાઇવી-ધ રિવોલ્યુશનરી લીડરનું શુટીંગ પુરૂ થતાં હવે તે બીજા પ્રોજેકટ હાથમાં લેશે. કંગનાએ કહ્યું હતું કે એવું ભાગ્યે જ બનતું હોય છે કે કોઇ એકટરની અંદર તેના લોહીમાં કોઇ કેરેકટર ભળી જાય. આ ફિલ્મમાં મારી સાથે આવુ જ થયું છે. વિજેન્દ્ર પ્રસાદ નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન એ. એલ. વિજયએ કર્યુ છે.