ફિલ્મ જગત
News of Thursday, 21st November 2019

સ્નેહા વાઘ યોગના સહારે

ટીવી પરદાની અભિનેત્રી સ્નેહા વાઘ અત્યાર સુધીમાં અનેક ટીવી શોમાં અલગ-અલગ પાત્રો ભજવી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી ચુકી છે. હવે તે ધાર્મિક શો 'કહત હનુમાન...જયશ્રી રામ'માં ખાસ રોલ નિભાવતી જોવા મળશે. સ્નેહા દેવી અંજનીનું એટલે કે હનુમાનજીના માતાનો  રોલ નિભાવશે. સ્નેહાએ આ રોલને ન્યાય આપવા ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે યોગ કરી રહી છે. તે કહે છે જીમની તમે શારીરિક ફિટનેસ મેળવી શકો છો, પરંતુ યોગથી તમે મનને પણ તંદુરસ્ત બનાવી શકો છો. તમારું મન પણ સ્વસ્થ હોય તે આ પ્રકારના પાત્રો માટે ખુબ જરૂરી હોય છે. આ કારણે મેં યોગ શરૂ કર્યા છે. યોગને કારણે હું સવારે છ વાગ્યે ઉઠી જાવ છું અને રાતે દસ વાગ્યે આપોઆપ ઉંઘ આવવા માંડે છે. સ્નેહાએ અગાઉ પણ અન્ય શોમાં ઐતિહાસિક પાત્રો ભજવ્યા છે.  હનુમાનજીનું એક નામ તેમના માતાના નામથી પણ પડ્યું હોઇ સ્નેહા આ પાત્રને ખુબ ગંભીરતાથી લઇ રહી છે.

 

(9:44 am IST)