યે રિશ્તામાં નૈતિક તરીકે કરણની ફરી એન્ટ્રીની વાતો
સ્ટાર પ્લસના શો યે રિશ્તા કયા કહેલાતા હૈ આજે પણ દર્શકોને પસંદ પડી રહ્યો છે. આ શો ટીઆરપીની રેસમાં પણ ટોચ પર રહે છે. તાજેતરમાં આ શોએ ત્રણ હજાર એપિસોડ પુરા કર્યા હતાં. શોના પ્રારંભે હીના ખાન-અક્ષરા અને કરણ મહેરા-નૈતિકની જોડી દર્શકોને ખુબ પસંદ પડી હતી. એ પછી અક્ષરા-નૈતિકની દિકરી નાયરાની કહાની આગળ વધારવામાં આવી છે. શોમાં અક્ષરાનું મોત થયાનું દેખાડાયું હતું. એ પછી કરણ મહેરાની જગ્યાએ વિશાલ સિંહે એન્ટ્રી કરી હતી. હવે કરણ મહેરા નૈતિકના રોલમાં ફરીથી આ શો સાથે જોડાઇ રહ્યાની વાતો થઇ રહી છે. એક એવોર્ડ ફંકશનમાં કરણે ફિલ્મના નિર્માતા રાજન શાહીની મુલાકાત કરી હતી. આ જોતાં કરણ ફરીથી શો સાથે જોડાય તેવી વાતોને વેગ મળ્યો છે. કરણે જો કે પોતે રાજનને મળ્યો હોવાની વાત નકારી દીધી છે. તેણે કહ્યું હતું કે હુ અને કરણ એક બીજા સાથે મેસેજની આપ-લેથી સંપર્કમાં છીએ. કરણે એમ પણ કહ્યું હતું કે યે રિશ્તામાં મારા કમબેકની હજુ કોઇ વાત થઇ નથી.