ફિલ્મ જગત
News of Friday, 21st June 2019

માનુષી છિલ્લરની પહેલી ફિલ્મ અક્ષય સાથે

વર્ષ ૨૦૧૭માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર બોલીવૂડમાં આવી રહી છે. પહેલા એવી ચર્ચા હતી કે તે રણવીરસિંહ સાથે ફિલ્મ કરી રહી છે. પણ હવે એવી સ્પષ્ટતા  થઇ છે કે તે અક્ષય કુમાર સાથે પૃથ્વીરાજ ચોૈહાણના જીવન પરની ફિલ્મમાં કામ કરવાની છે. પૃથ્વીરાજ ચોૈહાણની બાયોપિકની ટીમ સાથે માનુષી સામેલ થઇ ગઇ છે. અક્ષય કુમારની પત્નિના રોલમાં તે જોવા મળશે. પૃથ્વીરાજ ચોૈહાણને ત્રણ પત્નિ હતી, તેમાંથી એક પત્નિનો રોલ માનુષીને મળ્યો છે. માનુષી સંયુકતાનો રોલ નિભાવશે. પૃથ્વીરાજ ચોૈહાણ અને સંયુકતાની પ્રેમકહાનીને હમેંશા  યાદ કરાય છે. પૃથ્વીરાજ ચોૈહાણ અંતિમ હિન્દુ ક્ષત્રિય રાજા હતાં. તેણે મહમદ ગોરી સાથે અનેક યુધ્ધ લડ્યા હતાં અને એનક વખત ધુળ ચટાડી હતી. પણ એક વખત મહમદ ગોરીએ વિજય મેળવી લીધો હતો.  એ પછી પૃથ્વીરાજે યોજના બનાવી ગોરીનો ખાત્મો બોલાવ્યો હતો. પૃથ્વીરાજ ચોૈહાણે ૧૧૭૮ થી ૧૧૯૨ સુધી દિલ્હીથી અજમેર સુધી સામ્રાજ્ય જમાવ્યું હતું.

(10:08 am IST)