સંગીતની સૂઝ ભંસાલીની રાજકપૂર જેવી છે: લત્તા મંગેશકર
મુંબઇ: સ્વર કિન્નરી ભારત રત્ન લતા મંગેશકરે કહ્યું હતું કે ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની સંગીતસૂઝ લિજેંડરી અભિનેતા ફિલ્મ સર્જક રાજ કપૂર જેવી શાર્પ છે. 'દરેક ફિલ્મ સર્જક પોતે સંગીતકાર હોવો જોઇએ તો એ પોતાની ફિલ્મમાં યાદગાર સંગીત આપી શકે. અગાઉ ભણસાલીની ફિલ્મો માટે ઇસ્માઇલ દરબાર સંગીત પીરસતા હતા. હવે એ પોતે સંગીત તૈયાર કરે છે. એ ખૂબ સારી વાત છે' એમ લતાજીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે હું અંગત રીતે એમ માનું છું કે ભણસાલીજીની સંગીતસૂઝ લિજેન્ડરી ફિલ્મ સર્જક રાજકપૂર જેવી છે. ક્લાસિકલ મ્યુઝિક અને આપણી સંસ્કૃતિના એ અભ્યાસી છે. એ શરૃથી જ પોતાની ફિલ્મોમાં પોતે સંગીત પીરસી શક્યા હોત પરંતુ એમણે એવું ન કર્યું. બાકી એ ભારતીય સંગીત અને રાગદારીના ઊંડા અભ્યાસી છે. એમનો સંગીતનો અભ્યાસ અને સૂઝ અનેરાં છે.