સંજય લીલા બીજી તક આપશે તેવી અંકિતાને આશા
સુશાંતસિંહ રાજપૂતની એક સમયની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે હાલમાં કંગના રનોૈત સાથે ફિલ્મ 'મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી'માં કામ કરી રહી છે. આ ફિલ્મથી તે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. જેમાં તેનો રોલ ઝલકારી બાઇનો છે. આ પહેલા અંકિતાને સંજય લીલા ભણશાલીએ ફિલ્મ પદ્માવત માટે એક રોલ ઓફર કર્યો હતો. જો કે તે વખતે તેણે આ રોલ કરવાની ના કહી દીધી હતી. અંકિતાએ કહ્યું હતું કે મેં ત્યારે સંજય લીલાને ના પાડીને બેવકુફી કરી હતી. હું હમેંશા તેની સાથે કામ કરવા ઇચ્છુ છું. પણ મને જ્યારે રોલ ઓફર થયો ત્યારે હું માનસિક રીતે કામ કરવા તૈયાર નહોતી અને કામમાંથી આરામ લેવા ઇચ્છતી હતી. મને આશા છે કે હજુ બીજી વખત તેઓ મને તક આપશે. તાજેતરમાં અંકિતાનો મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં સાડી પહેરેલો લૂક સામે આવ્યો હતો. ફિલ્મનું લગભગ શુટીંગ પુરૂ થઇ ગયું છે. ૩ ઓગષ્ટના રિલીઝ થશે.