સુશાંત તમે પરત આવી જાઓ... અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આજે જન્મજયંતિ નિમિતે ઢગલાબંધ ચાહકોએ સોશ્યલ મીડિયા ઉપર શ્રદ્ધાંજલી અર્પી
મુંબઇઃ ટીવીથી ફિલ્મો સુધીની સફર કરનાર ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનને મહિનાઓ પસાર થઈ ગયા છે. તે હવે આપણી વચ્ચે નથી, પરંતુ ચાહકો હજી પણ તેમને ભૂલી શક્યા નથી. ગત વર્ષે અચાનક તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી હતી, પરંતુ હજી પણ લોકો તેમની સ્માઈલ યાદ કરીને તેમને મિસ કરે છે. આજે 21 જાન્યુઆરીએ સુશાંતની જન્મજયંતી છે. આજે તેમના ઢગલાબંધ ચાહકો સોશિયલ મીડિયા પર તૂટી પડ્યા છે. તેમને યાદ કરીને કહી રહ્યા છે કે, સુશાંત તમે પરત આવી જાઓ.
સુશાંત (RIP Sushant Singh Rajput) ને યાદ કરીને આજે સોશિયલ મીડિયા પર ઢગલાબંધ પોસ્ટ થઈ છે. જેમાંથી કેટલીક ટ્રેન્ડિંગ થઈ છે. આવામાં ‘One day for SSR birthday’ પણ ટ્રેન્ડિંગમાં છે. તો અનેક ફેન્સ કહી રહ્યા છે કે, Come Back the World Needs your Presence..!!
ટ્વિટર પર લોકો દિવંગત એક્ટરને યાદ કીરને તેમની તસવીરો શેર કરી રહ્યા છે. તો ભાવુક થઈને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
બોલિવુડ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી. ત્યારે પવિત્ર રિશ્તા શોમાં તેમની કો-સ્ટાર અને એક સમયની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ સુશાંતને યાદ કરીને ભાવુક પોસ્ટ લખી છે.
સુશાંતે ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. અનેક લોકોને આ વાતથી આશ્ચર્ય થાય છે, પરંતુ આ વાત સત્ય છે. તેમણે 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. તેમનો આ પ્લોટ સી ઓફ મકસોવીમાં છે. ઈન્ટરનેશનલ લૂનર રજિસ્ટ્રી પાસેથી ચંદ્ર પર આ જમીન ખરીદી હતી.
ઉલ્લેખનીય છે કે, 34 વર્ષીય સુશાંતે ગત વર્ષે 14 જૂનના રોજ બ્રાન્દ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવી હતી. તેમના કેસની તપાસ હજી સુધી ચાલી રહી છે, પરંતુ કોઈ કારણ સામે આવ્યું નથી કે તેમણે કેમ ફાંસી લગાવી હતી.