એવી બાબતો તરફ હું ધ્યાન જ આપતી નથી કાજોલ
લાંબા સમય પછી કાજોલ ફરીથી તેના ચાહકો સમક્ષ આવી છે. છેલ્લે તે પતિ અજય દેવગણ સાથે તાન્હાજી-ધ અનસંગ વોરિયરમાં જોવા મળી હતી. હાલમાં જ તેની ફિલ્મ ત્રિભંગા નેટફિલકસ પર રિલીઝ થઇ છે. જેમાં તેનો અભિનય વખણાયો છે. કાજોલને જે કહેવું હોય છે એ બેધડક કેમેરા સામે અને સોશિયલ મિડીયા પર કહી દે છે. તાજેતરમાં કાજલે કહ્યું હતું કે હું જાડી છું એવી વાતનો અહેસાસ કરાવતી તમામ બાબતો તરફ હું ધ્યાન આપતી નથી. જેમાં અરિસો, માપપટ્ટી અને કોઇનો પ્રતિભાવ સામેલ છે. ત્રિભંગામાં કાજોલ સાથે તન્વી આઝમી અને મિથિલા પાલકર પણ છે. કાજોલે ઓડીસી ડાન્સરનો રોલ નિભાવ્યો છે. આ સિરીઝને અજય દેવગણે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું લેખન અને નિર્દેશનનું કામ રેણુકા શહાણેએ સંભાળ્યું છે. કૃણાલ રોય કપૂર અને કંવલજીતસિંહ પણ ખાસ ભુમિકામાં છે.