ફિલ્મ જગત
News of Monday, 22nd February 2021

સ્ટાર ભારત પર સીરીયલ 'મન કી આવાઝ પ્રતિજ્ઞા' સીઝન 2 ફરી થશે લોન્ચ

અગ્રણી મનોરંજન ચેનલ સ્ટાર ભારતે ફેન-ફેવરિટ શો 'મન કી અવાજ પ્રતિજ્ઞા ફરીથી લોંચ કરવાનો નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં જ તેની સીઝન 2 સાથે ટીવી પર દર્શકો માટે પરત ફરી રહ્યો છે. સ્ટાર ઇન્ડિયા હંમેશાં તેના દર્શકો માટે અસાધારણ  શો લાવે છે, જે તેઓ તેમની રસપ્રદ વાર્તાઓ સાથે પ્રેક્ષકોને રજૂ કરે છે અને હવે ચેનલ આ શોની સીઝન 2 સાથે તેના પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ શો માર્ચમાં પ્રસારિત થઈ રહ્યો છે. કટ પ્રોડક્શનના નિર્દેશક રાજન શાહી અને પર્લ ગ્રે નિર્માતા આ લોકપ્રિય શો લગભગ એક દાયકા પછી પડદા પર ફરી રહ્યો છે. આ શો એક આકર્ષક સ્ટાર-કાસ્ટ સાથે સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે, જેમાં પ્રતિભાશાળી પૂજા ગોર તેની જૂની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અર્હન બહલ અને અનુપમ શ્યામ ઓઝા પણ તેમની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(5:15 pm IST)