ફિલ્મ જગત
News of Tuesday, 13th August 2019

રિતેશ-જેનેલિયાએ મહારાષ્ટ્રના પૂર પીડિતોને 25 લાખની કરી સહાય

મુંબઈ: સ્ટાર દંપતી રિતેશ અને જેનીલિયા દેશમુખે મહારાષ્ટ્રના પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાન માટે બંનેનો આભાર માન્યો. ફડણવીસે સોમવારે એક ફોટો ટ્વીટ કર્યો, જેમાં આ સ્ટાર કપલ મંત્રીને ચેક આપતા નજરે પડે છે.

ફડણવીસે લખ્યું છે કે મહારાષ્ટ્ર પૂર માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં 25 લાખ રૂપિયા ફાળવવા બદલ જેનીલિયા અને રિતેશ દેશમુખનો આભાર. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂરગ્રસ્ત સાંગલી, કોલ્હાપુર અને સાતારા જિલ્લામાં 78 લાખ લોકોને સ્થાયી કરવામાં આવેલા 2 43૨ હંગામી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.

(6:36 pm IST)