સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું: જોન
જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ'નું પહેલુ ટિઝર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં જોન ડીસીપી સંજીવ કુમારનો રોલ નિભાવી રહ્યો છે. તેના નેતૃત્વમાં સપ્ટેમ્બર ૨૦૦૮માં એક એકાઉન્ટર કરાયું હતું. તેનું સત્ય જોન આ ફિલ્મ થકી ઉજાગર કરશે. દિલ્હીમાં ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૮માં સિલસિલાબધ્ધ બોમ્બ ધડાકા થતાં ૨૬ લોકોના મોત નિપજ્યા હતાં અને ૧૩૩ ઘાયલ થયા હતાં. એ પછી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ૧૯ સપ્ટેમ્બરે ઓપરેશન હાથ ધરાયું હતું. બાટલા હાઉસના ફલેટમાં દરોડો પાડી કથીત બે આતંકવાદીને ઠાર મરાયા હતાં. જો કે કેટલાક નેતાઓએ આ અથડામણ નકલી હોવાની વાતો કરી હતી. જોન કહે છે અમે આ ફિલ્મ દ્વારા સત્ય દર્શાવવાનો પ્રયાસ કરીશું. ફિલ્મના નિર્દેશક નિખીલ અડવાણી છે. મૃણાલ ઠાકુરનો મહત્વનો રોલ છે. ફિલ્મ પંદરમી ઓગષ્ટે રિલીઝ થશે.