અભિનય સાથે યોગમાં પણ અવ્વલ ચંદ્રમુખી ચોૈટાલા
ટીવી શો એફઆઇઆરમાં ઇન્સ્પકટર ચંદ્રમુખી ચોૈટાલાનો રોલ નિભાવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી કવિતા કોૈશીક સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહી પોતાના ચાહકોને આકર્ષિત કરતી રહે છે. એફઆઇઆર શો લોકપ્રિય થયો તેમાં કવિતાનું ખુબ મોટુ યોગદાન છે. તેની અવનવી તસ્વીરો સતત પોસ્ટ થતી રહે છે. અભિનયમાં અવ્વલ કવિતા યોગની સારી જાણકાર છે. તે ફિટ રહેવા નિયમિત યોગનો સહારો લે છે. ટીવી પરદા પરથી હાલમાં દૂર કવિતા તાજેતરમાં વેકેશન માણવા પતિ સાથે ગઇ હતી. તેણે સોશિયલ મિડીયા પર પોતે યોગ કરતી હોય તેવી તસ્વીરો મુકી હતી. જેમાં તે યોગની જબરદસ્ત જાણકાર હોવાનું પ્રતિત થઇ રહ્યું હતું. ગમે તેવા મુશ્કેલ યોગના સ્ટેપ પણ તે સરળતાથી કરી લે છે. તેનો પતિ રોનિત વિશ્વાસ પણ તેને યોગમાં સાથ આપે છે. ૨૦૧૭માં તેણે લગ્ન કર્યા છે. તેણે તાજેતરમાં એવો ચોંકાવનારો નિર્ણય લઇ બધાને જાણ કરી હતી કે પોતે જિંદગીમાં કદી પણ મા બનવા ઇચ્છતી નથી. તેણે બિઝનેસમેન પતિ રોનિત સાથે મળીને આ નિર્ણય લીધો છે. તે કહે છે હું ચાલીસ વર્ષે મા બનીશ તો અમારૂ બાળક વીસ વર્ષનું થશે ત્યાં અમે ૬૦ વર્ષના થઇગયા હોઇશું. જે સંતાન સાથે અન્યાય કર્યો ગણાશે.