News of Monday, 15th April 2019
એક રાત્રે ભયંકર આંધી - વરસાદમાં મારા રૂમની છત ઉડી ગયેલઃ અભિનેતા પંકજ ત્રિંપાઠી
અભિનેતા પંકજ ત્રિપાઠીએ સંઘર્ષના દિવસો યાદ કરતા જણાવ્યું કે આજે મારી પાસે મારા સપનાનું ઘર છે પણ હું મારા ટીનની છતવાળા એક રુમના ઘરને ભુલી નહી શકુ. એમણે જણાવ્યુ કે એક રાત્રે જોરદાર આંધી - વરસાદમાં એમના ઘરની છત ઉડી ગઇ હતી. અને તે ખુલ્લા આસમાન નીચે રહેતા હતા.
(10:52 pm IST)