સુનિલ ગ્રોવેરનો કોમેડી શો કાનપુરવાલે ખુર્રાનાઝ થશે બંધ
મુંબઈ:જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવરે પોતાના અચાનક બંધ થઇ ગયેલા ટીવી શો કાનપુરવાલે ખુર્રાનાઝ વિશે બોલતાં કહ્યું હતું કે મારી ફિલ્મોના શૂટિંગની તારીખોને ધ્યાનમાં રાખીને મેં આ શો માટે ફક્ત આઠ એપિસોડ પૂરતી હા પાડી હતી.'હાલ હું સલમાન ખાનની ભારત ફિલ્મ કરી રહ્યો છું અને બીજી પણ એક બે ફિલ્મો મેં સાઇન કરી લીધી છે. એટલે આ શોની વાત થતી હતી ત્યારે મેં ખુલ્લા શબ્દોમાં સ્પષ્ટતા કરી હતી કે હું આઠ એપિસોડથી વધુ સમય આપી નહીં શકું. પત્રકાર પરિષદમાં પણ મેં આ સ્પષ્ટતા કરી હતી. શોને સરસ પ્રતિસાદ મલ્યો એનો મને પણ આનંદ છે. પરંતુ અગાઉથી જે શિડયુલ નક્કી થયું હોય એમાં આપણે કોઇ ફેરફાર શી રીતે કરી શકીએ ?' એમ સુનીલ ગ્રોવરે કહ્યું હતું.સુનીલે તાજેતરમાં ભારતના શૂટિંગનો આરંભ પોતાની રીતે કર્યો હતો અને એ માટે એણે બાકીની બધી બાબતોને અટકાવી દીધી હતી. એણે કહ્યું કે જ્યારે ભારતના બીજા કલાકારો ફિલ્મના પ્રમોશનમાં બીઝી હતા ત્યારે મેં મારા હિસ્સાનું શૂટિંગ પતાવીને એમાં સહભાગી થવાનો નિર્ણય કર્યો હતો. ભારત ફિલ્મ તો ઇદ પર રજૂ થવાની છે પરંતુ અત્યારથી એના પ્રમોશનનો આરંભ થઇ ચૂક્યો છે. પહેલાં મારે મારા ભાગનું શૂટિંગ પૂરું કરવાનું હતું અને ત્યારબાદ પ્રમોશનમાં સહભાગી થવાનું હતું એટલે મારીપાસે વધુ સમયનો અભાવ હતો એ હકીકત મેં કાનપુરવાલે ખુર્રાનાઝના સર્જકોને અગાઉથી સ્પષ્ટ કરી દીધી હતી.