ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં શોક વ્યક્ત કર્યો બૉલીવુડ સિતારાઓએ

મુંબઈ: પંજાબનાં અમૃતસરમાં શુક્રવારની રાત્રે એક કરૂણ ઘટના બની. અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી ટ્રેન દુર્ઘટનામાં 60 લોકોનું મોત થયું અને ઘણા લોકો ઘાયલ છે. ટ્રેન જાલંધરથી અમૃતસર આવી રહી હતી. દુર્ઘટના અમૃતસરનાં ચૌડા બજારની નજીક થઈ હતીરાવણ દહન દરમિયાન ફટાકડા અને આગની લપેટનાં કારણે લોકો પાછળ ખસ્યા અને કેટલાક લોકો પહેલાથી પટરી પર ઉભા રહીને રાવણ દહન જોઈ રહ્યા હતા. દરમિયાન પુરઝડપે આવી રહેલી ટ્રેન લોકોને કચડીને નીકળી ગઈ હતી. ઘટનાસ્થળની ઘણી તસવીરો અને વિડીયો સામે આવ્યા છે. ઘટનાસ્થળ પર હાજર લોકોએ કહ્યું કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી, જ્યારે વધારે ભીડને જોઇને ટ્રેનની સ્પીડ ઓછી થવી જોઇએ. ઘટનાને લઇને લોકોમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે.

(5:10 pm IST)