બહેન અંશુલની તબિયત ખરાબ થતા નેપાળથી શૂટિંગ મૂકી પરત આવ્યો અર્જુન કપૂર
મુંબઈ:અર્જુન કપૂર અત્યારે નેપાળમાં ફિલ્મ ‘ઇન્ડિયા્ઝ મોસ્ટ વૉન્ટેડ’નું શૂટિંગ કરી રહ્યો છે, પરંતુ ગત દિવસોમાં અર્જુને પોતાનું શૂટિંગ વચ્ચે જ છોડીને નેપાળથી મુંબઈ આવવું પડ્યું હતુ. અર્જુનનાં મુંબઈ આવવાનું કારણ તેમની બહેન અંશુલા કપૂર હતી.ઉલ્લેખનીય છે કે અંશુલા કપૂરને માઇગ્રેન અટૈક આવતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ વાતની અર્જુનને જાણ થતા જ તે રજા લઇને શૂટિંગ વચ્ચે મુકી મુંબઈ પહોંચ્યો હતો. જો કે નેપાળથી શૂટિંગ છોડીને મુંબઈ આવવું અર્જુન માટે સરળ નહોતું. અર્જુને ડાયરેક્ટરને પ્રોમિસ કર્યું કે તે પરત આવીને ડબલ શિફ્ટમાં કામ કરશે. એક ઇન્ટરવ્યૂમાં અર્જુને જણાવ્યું કે, “અંશુલાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. અત્યારે તેને આરામની જરૂર છે.” અંશુલાની તબિયત ખરાબ થતા તેના પિતા બોની કપૂર સહિત પુરો પરિવાર અંશુલાનું ધ્યાન રાખી રહ્યો છે. અર્જુન પોતાના પરિવારમાં સૌથી વધારે નજીક તેની બહેન અંશુલા સાથે છે, આ કારણે તે સમાચાર સાંભળતા જ તેની પાસે પહોંચી ગયો હતો.