News of Friday, 20th July 2018
હવે રામગોપાલ વર્મા સંજય દત પર બનાવશે બીજી સંજૂ
ફિલ્મમાં ક્યા એક્ટરને તક મળશે ?: સંજય દતની જિંદગીના ક્યા તબક્કાને ઉજાગર કરાશે ?: જબરી ઉત્કંઠા
મુંબઈ :બોલીવુડના અભિનેતા સંજય દતની બાયોપિક ફિલ્મ સંજુ સુપરહિટ સાબિત થયા બાદ હવે રામગોપાલ વર્મા સંજય દત પર બીજી ફિલ્મ બનાવવા ઈચ્છે છે. મુંબઇ મિરરે રામ ગોપાલ વર્મા સાથે વાત કરી જેમાં રામુએ આ રિપોર્ટને કન્ફોર્મ કર્યા હતા
ગોપાલ વર્માએ કહ્યુ કે હા હું આ ફિલ્મ બનાવી રહ્યો છું. જો કે આ ફિલ્મમાં ક્યા એક્ટરને તક મળશે તેમજ સંજય દતની જિંદગીના ક્યા તબક્કાને ઉજાગર કરાશે તેની સ્પષ્ટતા કરાઈ નથી.
(11:59 am IST)