ફિલ્મ જગત
News of Thursday, 20th June 2019

ટીવીના રિયાલિટી શોના નિર્માતાની લાશ મુંબઈના તળાવમાંથી મળી

મુંબઈ:ટીવી ઈન્ડસ્ટ્રી પર મોતની છાયા હોય એવું લાગી રહ્યું છે. મોટા મોટા રિયાલીટી શોનાં પ્રોડ્યુસર સોહન ચૌહાણનું મોત થયું છે. એનું શવ મુંબઈની આરે કોલોની પાસે આવેલા તળાવમાં મળી આવી છે. અચાનક રીતે ખરાબ સમાચાર મળતા બોલિવૂડમાં શોકનું વાતાવરણ છે.મીડિયા અહેવાલો પ્રમાણે રવિવારે 16 જૂને સોહનનું શવ તળાવમાંથી મળી આવ્યું હતું. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે તેના શવને મોકલવામાં આવ્યો હતો. તેના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રિપોર્ટમાં જણાવાય રહ્યું છે કે મોતનાં સમયે સોહન ઘરે એકલો હતો. સોહનની પત્ની દિલ્હીમાં હતી અને સોહન ઘરે એકલો હતો. પોલીસનાં જણાવ્યાં અનુસાર હજુ 6 મહિલા પહેલા તેનાં લગ્ન થયાં હતા. એવું પણ બહાર આવ્યું છે કે સોહનને એની નોકરાણીએ 15 જૂને છેલ્લી વખત ઘરમાં જોયો હતો. તો વળી સોશયિલ મીડિયા પર તે 13 જૂન સુધી એક્ટિવ હતો.ઉલ્લેખનીય છે કે સોહન ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 7 અને માસ્ટર ઓફ ઈન્ડિયા સીઝન 6 જેવા મોટા મોટા શોનો પ્રોડ્યુસર રહી ચૂક્યો છે. તેનું ટીવી જગતમાં ખુબ મોટું નામ હતું. અત્યારે તેનાં મોત પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(5:29 pm IST)