ફિલ્મ જગત
News of Thursday, 19th September 2019

બીજા સાથે તુલના કરતો નથીઃ અજય

એકશન, કોમેડી, રોમાન્ટીક એમ દરેક પ્રકારની ફિલ્મો કરી ચુકેલો અભિનેતા અજય દેવગણ હાલમાં સારામાં સારી ફિલ્મો કરી રહ્યો છે. તાનાજી-ધ અનસંગ વોરિયર, ફૂટબોલર સૈયદ અબ્દુલ રહિમની કહાનીમાં અજય દમદાર રોલ નિભાવી રહ્યો છે. કારકિર્દી, સ્ટારડમ અને પરિવાર વિશે અજયએ કહ્યું હતું કે મારે કદી સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું નથી. મારી જિંદગીમાં બધુ સારુ-સારુ જ થતું આવ્યું છે. મેં આજ સુધીની સફરમાં જે શીખ્યું છે તે સખ્ત મહેનત છે. હું મારી જાતની બીજા સાથે તુલના કરવામાં માનતો નથી કે ન તો પાછળ વળી ભુતકાળ જોવાનું પસંદ કરુ છું. હું આજમાં જીવતો હોવ છું, આવતીકાલમાં નહિ. મને સ્ટારડમની પણ ચિંતા નથી. હું મારી આસપાસ જ રહુ છું, બહાર બહુ જતો નથી. અજયએ તેના બાળકો વિશે કહ્યું હતું કે મારી અને કાજોલની લોકપ્રિયતાની અસર તેના પર ન પડે તે શકય નથી. પણ મારા બાળકો સમજદાર છે. તે અમારામાંથી સકારાત્મક ચીજોને પ્રાપ્ત કરશે.

(10:07 am IST)