પિતા સતત પ્રેરણા આપતા રહે છેઃ શાહિદ કપૂર
શાહિદ કપૂરની ફિલ્મ 'કબિર સિંહ' આ શુક્રવારથી રિલીઝ થઇ રહી છે. તે અને કિયારા અડવાણી જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ બંને કપિલ શર્માના શોમાં પણ પહોંચ્યા હતાં. જ્યાં બંનેએ પોતે પહેલી જ વખત સાથે કામ કરી રહ્યા હોઇ તે અંગેના અનુભવ રજુ કર્યા હતાં. શાહિદ કપૂર શા માટે દરેક ફિલ્મમાં હેર સ્ટાઇલ બદલે છે? તેવા સવાલના જવાબમાં શાહિદ જણાવ્યું હતું કે મારા પિતા પંકજ કપૂરે મને દરેક ફિલ્મમાં લૂકસ બાબતે પ્રયોગ કરવા કહ્યું છે. આ કારણે હું દરેક ફિલ્મમાં હેર સ્ટાઇલ બદલી નાંખુ છું. શાહિદે કહ્યું હુતં કે હું ચાલીસનો થઇશ ત્યારે કદાચ મારા વાળ ખરવા પણ માંડશે. હું યુવા વયે હીરો બની જતાં મારા પિતા ખુબ ખુશ હતાં. તે મને સતત સારું કામ કરવા પ્રેરણા આપતા રહે છે. કિયારાએ પોતે અર્ચના પુરણસિંઘની મોટી ચાહક હોવાનું અને તેની તમામ ફિલ્મો જોઇ ચુકી હોવાનું કહ્યું હતું.