ફિલ્મ જગત
News of Tuesday, 19th February 2019

સિંગર રેખા ભારદ્વાજ અને હર્ષદીપ કૌરે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યો

મુંબઈ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ આખા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બોલીવુડ સેલેબ્સ પણ તેમના ગુસ્સાને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચૂક્યા છે. બે દિવસ અગાઉ હુમલાની નિંદા કરતા જાવેદ અખ્તર અને શબાના આઝમીએ કરાચી પ્રવાસ રદ્દ કર્યો હતો. હવે બોલીવુડની પ્રખ્યાત સિંગર રેખા ભારદ્વાજ અને સિંગર હર્ષદીપ કૌરે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરી દીધો છે.રિપોર્ટ અનુસાર, બન્ને સિંગર એક સંગીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે લાહોર જવાના હતા. રેખા ભારદ્વાજ અને હર્ષદીપ કૌર આગામી મહિને 21 અને 22 માર્ચે લાહોરમાં થનારો શાન-એ-પાકિસ્તાન નામના કાર્યક્રમમાં સામેલ થવાના હતા. પરંતુ પુલવામા હુમલા બાદ બન્ને સિંગર્સે નારાજગી વ્યક્ત કરી છે અને પ્રવાસ રદ્દ કર્યો છે. તે લોકોનું કહેવું છે કે પુલવામા હુમલા બાદ બદલાયેલા માહોલથી પાકિસ્તાનના પ્રવાસથી દેશના લોકોની સંવેદનાઓને ઠેષ પહોંચાડી શકાય નહી. આખો દેશ શોકમાં છે. જણાવી દઇએ કે સલામાન કાને તેની ફિલ્મ ભારત અને નોટબુકથી પાકિસ્તાન સિંગર આતિફ અસલમના ગીત હટાવી દીધા છે.

 

(5:21 pm IST)