સપ્ટેમ્બરમાં ફ્લોર પર જશે રાકેશ શર્માની બાયોપિક
મુંબઈ:ભારતના અવકાશવીર કમાન્ડર રાકેશ શર્માની બાયો-ફિલ્મને સેલ્યુટ ટાઇટલ આપવામાં આવ્યું છે અને આ ફિલ્મ આ વર્ષના સપ્ટેંબરમાં ફ્લોર પર જશે એવી માહિતી મળી હતી.અગાઉ આ ફિલ્મ આમિર ખાન કરવાનો હતો પરંતુ એને સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફારો કરાવવા હતા જે ફિલ્મ સર્જકોને ગળે ઊતરતા નહોતા એટલે સર્જનાત્મક મતભેદોના કારણે આમિરે ફિલ્મ છોડી દીધી અને પોતાના મિત્ર શાહરુખ ખાનને આ ફિલ્મ કરવાની ભલામણ કરી. આમ આમિરના સ્થાને શાહરુખ આવી ગયો.હાલ શાહરુખ આનંદ એલ રાયની ઝીરો ફિલ્મ કરી રહ્યો છે જેમાં એે પહેલીવાર વહેંતિયાનો રોલ કરશે. આ ફિલ્મ લગભગ પૂરી થવા આવી છે. શાહરુખે અગાઉ જાહેર કર્યું હતું કે હું ઝીરો ફિલ્મ પૂરી કર્યાં પહેલાં બીજી ફિલ્મ શરૃ નહીં કરું. આમ આ ફિલ્મ સેલ્યુટ હવે સપ્ટેંબરમાં શરૃ થવાની છે.શાહરુખે એવો અણસાર આપ્યો હતેા કે ફિલ્મ સેટ પર જાય ત્યારે શરૃમાં સતત બે ત્રણ મહિના કામ કરીને પહેલા શિડયુલને હું પૂરું કરી નાખીશ. પછીનું બીજું શિડયુલ ૨૦૧૯ના જાન્યુઆરીમાં શરૃ કરીશું.