શ્વેતાએ કહી દીધું એ કામ હું નહિ કરું
ફિલ્મો અને વેબ શોની જેમ ટીવી પરદાની સિરીયલોમાં પણ હવે કામોત્તેજક દ્રશ્યો નવી વાત રહ્યા નથી. અગાઉ પણ ઘણા શોમાં દર્શકોને આવું બતાવવામાં આવ્યું હતું. જો કે અમુક કલાકારો આવા દ્રશ્યો ટીવી પરદે આપવા તૈયાર હોતા નથી. શ્વેતા ભટ્ટાચાર્ય ટચુકડા પરદે ઘણી ફિલ્મો કરી ચુકી છે. તેણે જય કનૈયા લાલ કી સિરીયલમાં કામ સ્વીકાર્યુ ત્યારે જ તેણે શરત રાખી દીધી હતી કે સિરીયલમાં કદી પણ કામોત્તેજક દ્રશ્યો નહિ નિભાવે અને ટુંકા વષાો પણ નહિ પહેરે. આમ છતાં તેને સુહાગરાતનું દ્રશ્ય ભજવવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ શ્વેતાએ આ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેણે કોન્ટ્રાક્ટ યાદ કરાવીને કહ્યું હતું કે મેં પહેલા જ કહ્યું હતું કે આ કામ હું નહિ કરી શકું અને ટુંકા વષાો પણ પહેરીશ નહિ. આ બંને વચ્ચે ઓનસ્ક્રીન બતાવવી મને ફાવતી નથી. છેલ્લે નિર્માતાએ તેની વાત માની લીધી હતી.