'સંદીપ ઓર પિંકી ફરાર'નું શૂટિંગ પૂરૂં
મુંબઇ: અભિનેતા અર્જુન કપૂરે પોતાની આગામી ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરારનું શૂટિંગ પૂર્ણ કર્યાની ઔપચારિક જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં એની સાથે પરિણિતી ચોપરા ચમકી રહી છે. અગાઉ પણ આ બંને કલાકારોએ ઇશ્કઝાદેં ફિલ્મ સાથે કરી હતી. યોગાનુયોગે આ બંને કલાકારો હજુ સુધી એ લિસ્ટના કલાકારોમાં ગણાતાં થયાં નથી. બંનેને હજુ સુધી મધ્યમ સફળતા સાંપડી છે. જો કે ગઇ દિવાળી પર રજૂ થયેલી અને ટિકિટ બારી પર આમિર ખાન જેવાની ફિલ્મને હંફાવનારી અજય દેવગણની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ ગોલમાલ અગેન સુપરહિટ નીવડી હતી પરંતુ એ પરિણિતીની સોલો ફિલ્મ નહોતી. એ મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. અર્જુને ટ્વીટર પર એવી જાહેરાત કરી હતી કે અમારી દિબાકર બેનરજીની ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મનું શૂટિંગ અમે પૂર્ણ કર્યું હતું. હવે એનું પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૃ થશે. એણે ટ્વીટર પર કાવ્યાત્મક રીતે લખ્યું હતું કે અબ હમ થર્ડ ઑગષ્ટ કો મિલેંગે ક્યૂં કી સંદીપ ઔર પિન્કી ફરાર હૈ.. દિબાકર બેનરજીની આ ફિલ્મ તમને જરૃર ગમશે એેવી મને આશા છે...અમે દિલ દઇને કામ કર્યુ ંહતું. દિબાકરની ટીમ પણ સરસ હતી. આ ટીમે ગયા વરસે પાટનગર નવી દિલ્હીમાં શૂટિંગ કર્યા બાદ ભારત નેપાળ બોર્ડર પરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પણ શૂટિંગ કર્યું હતું.