News of Monday, 18th November 2019
ઇન્ડિયન આઇડલ માં અનુની વાપસી વિરૂદ્ધ સોનાએ સંઘર્ષની સરાહના કરીઃ એકટ્રેસ તનુશ્રી દત્તાની ટિપ્પણી
અભિનેત્રી તનુશ્રી દત્તાએ કહ્યું છે કે તે ઇન્ડીયન આઇડલ-૧૧ માં જજ તરીકે અનુ મલિકની વાપસીની આલોચના કરવા માટે ગાયિકા સોના મહાપાત્રાની સરાહના કરવા માગશે.
એમણે કહ્યું શું ટીઆરપી આપણા માનવીય મૂલ્યોથી વધારે જરૂરી છે ? તનુશ્રીએ કહ્યું ‘ મિ ટૂ' ના આરોપો છતા પણ અનુ મલિકને ફરી જજ કેમ બનાવવામાં આવ્યા.
તનુશ્રીએ કહ્યું આનાથી સાથેના જજોની માનસિકતા પર પણ સંદેહ થાય છે.
(10:10 pm IST)