ફિલ્મ જગત
News of Monday, 18th November 2019

ઇન્‍ડિયન આઇડલ માં અનુની વાપસી વિરૂદ્ધ સોનાએ સંઘર્ષની સરાહના કરીઃ એકટ્રેસ તનુશ્રી દત્તાની ટિપ્‍પણી

અભિનેત્રી તનુશ્રી દત્‍તાએ કહ્યું છે કે તે ઇન્‍ડીયન આઇડલ-૧૧ માં જજ તરીકે અનુ મલિકની વાપસીની આલોચના કરવા માટે ગાયિકા સોના મહાપાત્રાની સરાહના કરવા માગશે.

એમણે કહ્યું શું ટીઆરપી આપણા માનવીય મૂલ્‍યોથી વધારે જરૂરી છે ? તનુશ્રીએ કહ્યું  ‘ મિ ટૂ' ના આરોપો છતા પણ અનુ મલિકને ફરી જજ કેમ બનાવવામાં આવ્‍યા.

તનુશ્રીએ કહ્યું આનાથી સાથેના જજોની  માનસિકતા પર પણ સંદેહ થાય છે.

(10:10 pm IST)