ફિલ્મ જગત
News of Monday, 16th May 2022

બંગાળી ટીવીની ફેમસ હિરોઇન પલ્લવી ડેનો ગળેફાંસો ખાઇ આપઘાતઃ ચાહકોમાં શોકનું મોજ

ટીવી શો ‘મોન માને ના' અને સિરીયલ ‘રેશમ ઝંપી'માં શાનદાર ભૂમિકા ભજવી હતી

કોલકત્તાઃ બંગાળી ટેલીવિઝનની ખ્‍યાતનામ અભિનેત્રી પલ્લવી ડેએ કોલ(કતામાં પોતાના નિવાસસ્‍થાને પંખાથી લટકી આપઘાત કરી લીધો છે. ટીવી શો ‘મોન માને ના' અને સિરીયલ ‘રેશમ ઝંપી'માં તેમણે શાનદાર ભૂમિકા ભજવી હતી. પલ્લવીના મોતથી સ્‍ટાર્સ અને તેમના ચાહકોમાં ખુબ દુઃખ થયુ છે.

બંગાળી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી ખુબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. કોલકાતાની બંગાળી ટીવી એક્ટ્રેસ પલ્લવી ડેએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રવિવારે સવારે પલ્લવી ડેનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે. પોલીસની તપાસ પછી પલ્લવીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું.

પોલીસે શરૂ કરી તપાસ-

પલ્લવીના મૃતદેહનો મૃતદેહ તેના જ ઘરમાં પંખાથી લટકતો મળ્યો હતો. જેના પછી તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

હોસ્પિટલમાં પલ્લવીને મૃત જાહેર કરી-

પલ્લવીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે પોલીસે પલ્લવીએ આપઘાત કેમ કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

બંગાળી ટીવીની ફેમસ એક્ટ્રેસ છે પલ્લવી-

પલ્લવીના અચાનક આપઘાતની ખબરથી બંગાળમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પલ્લવી બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની એક ફેમસ એક્ટ્રેસ હતી. ટીવી શો મોન માને નામાં તે લીડ રોલમાં જોવા મળતી હતી. પલ્લવીને ટીવી સીરિયલ રેશન ઝંપીમાં કામ કર્યા પછી ખાસ ઓળખ મળી હતી.

પલ્લવીને તેના ફેન્સ ખુબ પસંદ કરતા હતા. પલ્લવીની એક્ટિંગ અને તેના કેરેક્ટરને લોક ખુબ પસંદ કરતા હતા. પલ્લવીની મોતની ખબરથી અનેક સ્ટાર્સ અને ફેન્સને ખુબ દુઃખ થયું છે.

(5:42 pm IST)